પત્નીએ આપઘાત કરતાં પોલીસે પતિ સામે નોંધ્યો ગુનો

05 January, 2023 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટના મંગળવારે દિવ વિસ્તારના બેતાવાડે ગામમાં બની હતી

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લામાં ૩૨ વર્ષની એક મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મુમ્બ્રા પોલીસે બુધવારે આપેલી માહિતી અનુસાર આ ઘટના મંગળવારે દિવ વિસ્તારના બેતાવાડે ગામમાં બની હતી.

આ મામલે હજી સુધી કોઈની ધરપકડ કરાઈ નથી અને કેસની તપાસ ચાલી રહી હોવાનું અધિકારીએ કહ્યું હતું. પતિને તેની પત્નીના ચારિત્ર પર શંકા હતી અને તે નજીવી બાબતોમાં પત્નીને માર મારી અને માનસિક ત્રાસ ગુજારતો હતો જેના કારણે પત્નીએ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

mumbai mumbai news thane suicide