02 September, 2012 04:51 AM IST |
૧૯ વર્ષના અબ્દુલ અન્સારીની મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ગયા સોમવારે બિહારના સીતામઢી ગામથી અમર જવાન સ્મારકને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ ધરપકડ કરી હતી. એની સામે બિહાર પોલીસની મંજૂરી લીધા વગર બિહારમાંથી કઈ રીતે તેની ધરપકડ કરવામાં આવી એવો સવાલ બિહારના સચિવે મુંબઈપોલીસને કર્યો હતો. આ સામે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરેએ વિરોધ દર્શાવી મહારાષ્ટ્રમાંથી ઘૂસણખોર બિહારીઓને હાંકી કાઢવામાં આવશે એવી ધમકી આપી હતી અને રાજકીય સ્તરે વાતાવરણ ગરમ થઈ જતાં આ પૂરો વિવાદ વકરી ન જાય એ માટે ગઈ કાલે મુંબઈના પોલીસ-કમિશનરે આ વિવાદનો શાંતિપૂર્વક ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.