બાળ ઠાકરેનાં અસ્થિવિસર્જન વખતે ઉદ્ધવ-રાજ રહ્યા દૂર-દૂર

24 November, 2012 06:05 AM IST  | 

બાળ ઠાકરેનાં અસ્થિવિસર્જન વખતે ઉદ્ધવ-રાજ રહ્યા દૂર-દૂર




શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ પોતાના પરિવાર સહિત શિવસેનાના વરિષ્ઠ નેતાઓ સાથે ગઈ કાલે લૉન્ચમાં જઈને સમુદ્રમાં વિધિવત્ અસ્થિવિસર્જન કર્યું હતું. એ સમયે તેમના પિતરાઈ ભાઈ અને એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે પણ હાજર હતા. જોકે તેમને અચાનક ચક્કર જેવું લાગતાં તેઓ છેલ્લે સુધી રોકાયા નહોતા અને બૉટમાં બેઠા વિના જ પાછા ફરી જતાં ફરી એક વાર બન્ને ભાઈઓ વચ્ચેના ખટરાગની ચર્ચા વહેતી થઈ હતી. અગાઉ પણ બાળ ઠાકરેની અંતિમ યાત્રામાં રાજ ઠાકરે પગપાળા ચાલ્યા હતા અને અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા.




એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (તસવીરો : બિપિન કોકાટે)