દશેરા-દિવાળીમાં વેસ્ટર્ન રેલવે ૧૨ સ્પેશ્યલ ટ્રેન દોડાવશે

18 October, 2020 10:02 AM IST  |  Mumbai | Agencies

દશેરા-દિવાળીમાં વેસ્ટર્ન રેલવે ૧૨ સ્પેશ્યલ ટ્રેન દોડાવશે

ફાઇલ ફોટો

પશ્ચિમ રેલવે (ડબ્લ્યુઆર)એ આગામી દશેરા અને દિવાળીના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે આ સમય દરમ્યાન વિવિધ રૂટ પર ૧૨ સ્પેશ્યલ ટ્રેનોની ૧૫૬ ટ્રિપ દોડાવવામાં આવશે, એમ જણાવ્યું હતું.
આ ૧૨ સ્પેશ્યલ ટ્રેનો પૈકીની ટ્રેનની પાંચ જોડી બાંદરા ટર્મિનસથી, બે જોડી ઇન્દોરથી અને બે જોડી ઊધનાથી તથા ઓખા, પોરબંદર અને ગાંધીધામ સ્ટેશનો પરથી એક-એક જોડી ઊપડશે, તેમ પશ્ચિમ રેલવેની યાદીમાં જણાવાયું હતું.
તમામ વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેનો તરીકે દોડશે એમ યાદીમાં જણાવાયું હતું. આ તમામ સંપૂર્ણપણે આરક્ષિત ટ્રેનો હશે. કેટલીક ટ્રેનોનું બુકિંગ ગઈ કાલથી શરૂ થઈ ચૂક્યું છે અને બાકીની ટ્રેનોનું બુકિંગ ૨૨ ઑક્ટોબરથી શરૂ થશે.

mumbai western railway mumbai news mumbai local train