20 September, 2021 05:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ ફોટો
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે એનડીટીવીના શ્રીનિવાસન જૈનને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળા બાદ તેમણે બે અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા બેઠકો રાજ્યસભા સીટની ઓફર ઠુકરાવી દીધી છે.
જોકે, સૂદે પક્ષકારોના નામ આપવાનો ઇનકાર કર્યો હતો.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું વિચાર્યું છે, તો સૂદે કહ્યું, “મને છેલ્લા 10 વર્ષથી રાજકીય હોદ્દાની ઓફર કરવામાં આવી છે. કોવિડ-19 રોગચાળા બાદ મને બે રાજકીય પક્ષો દ્વારા બે વખત રાજ્યસભાની બેઠકની ઓફર કરવામાં આવી હતી, પરંતુ હું તૈયાર ન હોવાથી મેં ના પાડી દીધી હતી.
આ પહેલા સોમવારે, 48 વર્ષીય અભિનેતાએ જણાવ્યું હતું કે, સીબીડીટીના કરચોરીના આરોપના જવાબમાં જરૂરિયાતમંદો સુધી પહોંચવા અને જીવન બચાવવા માટે તેના ફાઉન્ડેશનમાં દરેક રૂપિયા “તેના વારાની રાહ જોઈ રહ્યા છે.”
CBDT એ અગાઉ કહ્યું હતું કે અભિનેતા દ્વારા સ્થાપિત ચેરિટી ફાઉન્ડેશનનો સમાવેશ 21 જુલાઈ, 2020ના રોજ કરવામાં આવ્યો હતો અને 1 એપ્રિલ, 2021થી અત્યાર સુધીમાં 18.94 કરોડ રૂપિયાનું ડોનેશન એકત્રિત કર્યું હતું.
તેમાંથી, ફાઉન્ડેશને વિવિધ રાહત કાર્યો માટે આશરે 1.9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને 17 કરોડ રૂપિયાની બાકી રકમ તેના બેંક ખાતામાં "બિનઉપયોગી" પડી હોવાનું જાણવા મળ્યું છે.
એફસીઆરએના નિયમોનું ઉલ્લંઘન કરીને ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર વિદેશી દાતાઓ પાસેથી ચેરિટી ફાઉન્ડેશન દ્વારા 2.1 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આપ સરકારે તાજેતરમાં તેના `દેશ કા મેન્ટર` કાર્યક્રમના એમ્બેસેડર તરીકે સોનુ સૂદની નિમણૂક કરી હતી, જે અંતર્ગત વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની પસંદગી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.