અભિનેતા ઇમ્તિયાઝ ખાનનું ૭૮ વર્ષની વયે નિધન

17 March, 2020 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા ઇમ્તિયાઝ ખાનનું ૭૮ વર્ષની વયે નિધન

ઇમ્તિયાઝ ખાન પત્ની કૃતિકા દેસાઇ સાથે

યાદોં કી બારાત જેવા લોકપ્રિય મ્યુઝિકલ ડ્રામામાં અભિનય કરી ચુકેલા ઇમ્તિયાઝ ખાન જે જાણીતા ગુજરાતી એક્ટ્રેસ કૃતિકા દેસાઇનાં પતિ પણ હતા તેમનું ૭૮ વર્ષની વયે નિધન થયું છે. કૃતિકા દેસાઇ ખાન અને ઇમ્તિયાઝે મળીને દીકરી દત્તક લીધી હતી જેનું નામ આયેશા છે.

એક્ટરે યાદોં કી બારાત, નુરજહાં, ધર્માત્મા અને દયાવાન જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ સ્વર્ગીય અમજદ ખાનનાં ભાઇ તથા સ્વર્ગીય એકટર જયંતના દિકરા હતા તથા શાદાબ ખાનનાં કાકા તથા ઇનાયત ખાનનાં ભાઇ હતા.

નામ ઝેકારિયન ખાન હતું અને પછી તેમણે ફિલ્મોમાં અન્ટ્રી કરી ત્યારે ઇમ્તિયાઝ ખાન નામ રાખ્યું. તેમે થિએટર ડિરેક્ટર તરીકે પણ કામ કર્યુ હતું અને ત્યારે બાદ ફિલ્મોમાં અભિનય શરૂ કર્યો જો કે તેમને હંમેશાથી ફિલ્મોનું દિગ્દર્શન કરવાની ચાહ હતી.
જાણતી અભિનેત્રી અંજુ મહેન્દ્રૂએ તેમના મૃત્યુ વિષે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઇમ્તિયાઝ ખાનનાં નિધનની વાત લખી હતી.