21 September, 2022 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
શિવસેના (Shiv Sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કહ્યું કે “અત્યાર સુધી બાળકોના અપહરણ કરનારાઓની ટોળકી સાંભળવામાં આવતી હતી, પરંતુ પિતાના અપહરણ કરનારાઓના બાળકો હવે મહારાષ્ટ્રમાં ફરે છે.” ઉદ્ધવે કહ્યું કે મુંબઈમાં ગીધ ફરે છે. તેમણે અધિકારીઓને ખાતરી પણ આપી હતી કે આ વર્ષે દશેરાનો મેળાવડો શિવતીર્થ ખાતે યોજાશે.
તેમણે કહ્યું કે સંજય રાઉત ન તૂટવાના નિર્ધાર સાથે લડે છે, તે ઝૂકશે નહીં. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ મિંધે જૂથમાં ગયા નથી, તેથી તેમના માટે એક બેઠક ખાલી રાખવામાં આવી છે.
ઉદ્ધવ ઠાકરેએ આજે ભાજપની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, "આજે ગીધ મુંબઈ પર મંડરાઈ રહ્યા છે. ચૂંટણી આવે ત્યારે જ તેમને મુંબઈ યાદ આવે છે.” તેમણે કહ્યું કે આ શિવસેના મરાઠી લોકોના બલિદાનથી મળી છે. તેઓ તેને હાથમાં લઈને વેચવા માગે છે."
તેઓ શિવસેનાના નેતાઓના મેળાવડામાં બોલી રહ્યા હતા. આજની બેઠકમાં આદિત્ય ઠાકરેની સાથે તેજસ ઠાકરે પણ હાજર હતા. શિવસેનાના જૂથ પ્રમુખોના મેળાવડામાં પદાધિકારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યમાં સત્તા પરિવર્તન અને શિંદે જૂથના બળવા પછી જૂથ નેતાઓની આ પ્રથમ બેઠક હતી.
આ પણ વાંચો: મુંબઈમાં ટેક્સી ડ્રાઈવરો 26 સપ્ટેમ્બરથી જશે અનિશ્ચિત મુદતની હડતાળ પર, જાણો વિગત