બૅન્ગકૉકથી આવેલી ચેન્નઈની મહિલા પાસેથી બે વાંદરા મળ્યા

01 October, 2025 07:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કસ્ટમ્સ હવે એ વાંદરાઓને નિયમ મુજબ પાછા બૅન્ગકૉક ડિપૉર્ટ કરી દેશે

સ્ટમ્સ અધિકારીઓએ એ બન્ને વાંદરાઓને બચાવ્યા

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સે ગઈ કાલે પરોઢિયે બૅન્ગકૉકથી આવેલી મહિલા પ્રવાસી પાસેથી ગેરકાયદે લવાયેલા બે વાંદરા પકડી પાડ્યા હતા. આ મહિલા મૂળ ચેન્નઈની છે. તેણે એ વાંદરા તેના લગેજમાં એક બાસ્કેટમાં રાખ્યા હતા. કસ્ટમ્સ અધિકારીઓએ એ બન્ને વાંદરાઓને બચાવીને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુઅર સંસ્થાને સંભાળ લેવા સોંપ્યા હતા. કસ્ટમ્સ હવે એ વાંદરાઓને નિયમ મુજબ પાછા બૅન્ગકૉક ડિપૉર્ટ કરી દેશે.  

mumbai news mumbai mumbai customs bangkok chennai Crime News mumbai crime news chhatrapati shivaji international airport