પૂજા ચવાણ કેસમાં બે જણની ધરપકડ

18 February, 2021 02:01 PM IST  |  Pune

પૂજા ચવાણ કેસમાં બે જણની ધરપકડ

પૂજા ચવાણ

પૂજા ચવાણના કથિત આત્મહત્યાના મામલામાં પુણે પોલીસે યવતમાળ અને બીડમાંથી બે યુવાનની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બંને આરોપીની પોલીસ પૂછપરછ કરીને તેમનો આ મામલામાં શું સંબંધ છે અને પૂજાએ શા માટે આ પગલું ભર્યું હતું એ જાણવાનો પ્રયાસ કરશે. બેમાંથી એક આરોપી શિવસેનાના પ્રધાન સંજય રાઠોડના કાર્યકર્તા અરુણ રાઠોડનો સંબંધી હોવાનું કહેવાય છે.

pune pune news suicide