18 February, 2021 02:01 PM IST | Pune
પૂજા ચવાણ
પૂજા ચવાણના કથિત આત્મહત્યાના મામલામાં પુણે પોલીસે યવતમાળ અને બીડમાંથી બે યુવાનની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બંને આરોપીની પોલીસ પૂછપરછ કરીને તેમનો આ મામલામાં શું સંબંધ છે અને પૂજાએ શા માટે આ પગલું ભર્યું હતું એ જાણવાનો પ્રયાસ કરશે. બેમાંથી એક આરોપી શિવસેનાના પ્રધાન સંજય રાઠોડના કાર્યકર્તા અરુણ રાઠોડનો સંબંધી હોવાનું કહેવાય છે.