મજૂરોને લઈ જતી ટ્રક ઊંધી વળી ગઈ અને પાછળથી આવી રહેલી શેરડીની ટ્રક તેમના પર ફરી વળી

11 March, 2025 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દુર્ઘટનામાં ૪ મજૂરોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે બે મજૂરોનાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં. ૧૧ ઘાયલ મજૂરોને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

સંભાજીનગર જિલ્લામાં રવિવારે મધરાત બાદ થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૬ મજૂરોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ૧૧ મજૂરો ઘાયલ થયા હતા. અકસ્માતની આ ઘટના પિશોરા ઘાટમાં રાતે ૨.૩૦ વાગ્યે બની હતી. જે ટ્રકમાં મજૂરો હતા એ ટ્રક કન્નડાથી પિશોરા જઈ રહી હતી. ઘાટમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રક ઊંધી વળી ગઈ હતી અને મજૂરો રોડ પર પટકાયા હતા. એ જ વખતે પાછળથી સ્પીડમાં આવી રહેલી શેરડી ભરેલી ટ્રક તેમના પર ફરી વળી હતી. આ દુર્ઘટનામાં ૪ મજૂરોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે બે મજૂરોનાં સારવાર દરમ્યાન મૃત્યુ થયાં હતાં. ૧૧ ઘાયલ મજૂરોને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Chhatrapati Sambhaji Nagar road accident maharashtra maharashtra news news mumbai mumbai news mumbai police