ભાઈ-બહેન આઇસક્રીમ ખાઈને બાઇક પર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે ટ્રકે જીવ લઈ લીધો

16 May, 2025 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ પરિવારનાં બે સંતાનોનાં એકસાથે મોત થવાથી વિશ્વકર્મા પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હતો. પાલઘર પોલીસે નાસી છૂટેલા ટ્રક-ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પાલઘરમાં મંગળવારે રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં ભાઈ-બહેનનાં કરુણ મોત થયાં હતાં. બાવીસ વર્ષનો મંગેશ વિશ્વકર્મા અને તેની પચીસ વર્ષની મોટી બહેન પૂજા મંગળવારે રાતે જમ્યા પછી આઇસક્રીમ ખાવા નીકળ્યાં હતાં. આઇસક્રીમ ખા​ઈને તેઓ મોટરસાઇકલ પર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે પાલઘર–માહિમ રોડ પર સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે તેમને અડફેટે લેતાં બન્ને જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. તેમને અડફેટે લઈને ટ્રક-ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. એક જ પરિવારનાં બે સંતાનોનાં એકસાથે મોત થવાથી વિશ્વકર્મા પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હતો. પાલઘર પોલીસે નાસી છૂટેલા ટ્રક-ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી છે.

palghar road accident mumbai crime news mumbai crime news mumbai police news mumbai news