ઘોડબંદર રોડ પરના નાળામાંથી કાટમાળ હટાવી લેવામાં આવ્યો

24 May, 2023 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીએમસીએ એ નાળામાંથી કાટમાળ હટાવી લીધો છે

નાગલા બંદર પાસે આવેલ નાળું

ઘોડબંદર રોડ પર નાગલા બંદર પાસે આવેલા કુદરતી નાળામાં કાટમાળ નાખીને એ પૂરવામાં આવી રહ્યું છે એટલે મૉન્સૂનમાં ફરી એક વાર ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે એવી રજૂઆત થાણે એમએનએસ દ્વારા કરાઈ હતી. એની નોંધ ‘મિડ-ડે’એ લઈને એના ન્યુઝ આપ્યા બાદ હવે ટીએમસીએ એ નાળામાંથી કાટમાળ હટાવી લીધો છે. આ કામગીરી પર નજર રાખવા ટીએમસીના અધિકારીઓ જાતે હાજર રહ્યા હતા. 

mumbai mumbai news thane municipal corporation ghodbunder road gujarati mid-day