26 January, 2021 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નયાનગર પોલીસ-સ્ટેશનના પહેલા માળે આવેલા શૌચાલયની બારીની જાળી તોડીને એક શાતિર ચોર ફરાર થઈ ગયો છે. આ આશ્ચર્યજનક ઘટના મીરા રોડના નયાનગર પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે સવારે પાંચથી છ વાગ્યા વચ્ચે બની હતી. મલાડના માલવણીમાં રહેતા ૩૦ વર્ષના સમીર શેખ નામના આરોપીની ચોરીના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે સવારે સાડાપાંચ વાગ્યાની આસપાસ તેણે ટૉઇલેટ જવાનું કહ્યું હતું એથી તેને પોલીસ-સ્ટેશનના પહેલા માળે આવેલા શૌચાલયમાં લઈ જવાયો હતો, જ્યાં તે બારીમાં લગાડેલી જાળી તોડીને પહેલા માળ પરથી કૂદકો મારીને ફરાર થઈ ગયો હતો.