20 June, 2021 02:45 PM IST | Mumbai | Priti Khuman Thakur
વિરારની સ્કૂલની બહારનો રસ્તો વરસાદ ન હોવા છતાં પાણીથી ભરાયેલો હતો. પ્રીતિ ખુમાણ ઠાકુર
વિરારમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં વિરારવાસીઓને તેમની સમસ્યામાંથી વિરામ મળ્યો હોય એવું લાગતું નથી. વિરારના અમુક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પરથી પાણી દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. રસ્તા પર ભરાયેલાં પાણીને કારણે રોગચાળો ફેલાય એવી લોકોને ચિંતા સતાવી રહી છે. વિરાર-વેસ્ટમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બહારનો રસ્તો પાણીથી ભરાયેલો હતો. પમ્પ દ્વારા પાણી ઉલેચવામાં આવી રહ્યાં હોવા છતાં ગઈ કાલ સુધી પાણી ભરાયેલાં રહ્યાં હતાં.