નવા અપડેટ પર સવાલના જવાબ મળવા જોઈએ ​: કંગના રનોટ

04 October, 2020 08:16 AM IST  |  Mumbai | Mumbai Correspondent

નવા અપડેટ પર સવાલના જવાબ મળવા જોઈએ ​: કંગના રનોટ

કંગના રનોટ

બૉલીવુડની અભિનેત્રી કંગના રનોટે સીબીઆઇના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્‍વિટર દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં અભિનેત્રીએ કહ્યું કે યુવા અને ટૅલન્ટેડ માણસ એક દિવસ જાગે છે અને પોતાને મારી નાખે છે. સુશાંતે કહ્યું હતું કે તેની સાથે થઈ રહેલો વર્તાવ યોગ્ય નથી. તેને પોતાના જીવનો ડર હતો અને તેણે કહ્યું હતું કે મૂવી-માફિયાઓએ તેના પર બૅન લગાવી દીધો છે. તેને હેરાન કરવામાં આવી રહ્યો છે અને તેના પર બળાત્કારનો ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે જેને કારણે તે પરેશાન થયો હતો. આટલું ઓછું હતું ત્યાં બીજી ટ્વીટમાં કંગનાએ અન્ય પ્રશ્નોના જવાબની માગણી કરી હતી. બીજી ટ્વીટમાં કંગનાએ કહ્યું કે નવા અપડેટ પર અમને કેટલાક સવાલોનો જવાબ જોઈએ છે...
૧. એસએસઆરે વારંવાર મોટાં-મોટાં પ્રોડક્શન-હાઉસ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી, એ લોકો કોણ હતા જેમણે તેના વિરુદ્ધ ષડ્‍યંત્ર રચ્યું?
૨. મીડિયાએ તેના બળાત્કારી હોવાના ખોટા સમાચાર શા માટે ફેલાવ્યા?
૩. મહેશ ભટ્ટ પોતાનું મનોવિશ્લેષણ શા માટે નથી કરી રહ્યા?

sushant singh rajput kangana ranaut mumbai mumbai news