22 October, 2012 05:05 AM IST |
રેલવેના જનરલ મૅનેજર સુબોધકુમાર જૈન અને ડિવિઝનલ રીજનલ મૅનેજરની ગુરુવારે મળેલી એક બેઠકમાં થાણે હાર્બર લાઇન પર નવાં બે સ્ટેશનો બનાવવા સહિત અન્ય બીજી રજૂઆતો કરવામાં આવી હતી. એ મીટિંગમાં કોપરખૈરણે અને તુર્ભે વચ્ચે બોનકોડે સ્ટેશન બનાવવામાં આવે, જ્યારે ઐરોલી નજીક દીઘા સ્ટેશન બનાવવામાં આવે એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. એ સિવાય આવતા ત્રણ મહિનામાં આ હાર્બર લાઇનનાં બધાં જ સ્ટેશનો પરનાં પ્લૅટફૉર્મની ઊંચાઈ વધારવાનો નર્ણિય પણ લેવામાં આવ્યો છે. બોનકોડે સ્ટેશનને કારણે પાવણે, મ્હાપે, ઘનસોલી અને રબાળે જેવા ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં કામ કરતા કર્મચારીઓને ઘણી જ સુગમતા રહેશે. આ ઉપરાંત નવ ડબ્બાની ટ્રેનોને હવે બાર ડબ્બાની કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. એ સિવાય તુર્ભે રેલવે-સ્ટેશન પર આવેલા સબવેનો એક ભાગ વાહનો માટે ખોલવાનો પણ નર્ણિય લેવામાં આવ્યો છે.