સુશાંતસિંહનો પગ વાંકો વળેલો હતો?

11 August, 2020 07:02 AM IST  |  Mumbai | Mumbai correspondent

સુશાંતસિંહનો પગ વાંકો વળેલો હતો?

સુશાંતસિંહ રાજપૂત

ઍક્ટર સુશાંતસિંહ રાજપૂતના કેસમાં રોજ નવા ફણગા ફૂટ્યા કરે છે. ગઈ કાલે બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે સુશાંતની બૉડીને જે ઍમ્બ્યુલન્સમાં લઈ જવાઈ હતી એના કર્મચારીના કહેવા મુજબ સુશાંતનો પગ વાંકો વળી ગયો હતો, ફ્રૅક્ચર થયું હોય એ રીતે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે સુશાંતની બૉડીનું પોસ્ટમૉર્ટમ કરનાર કૂપર હૉસ્પિટલના પાંચેપાંચ ડૉક્ટરોની પૂછપરછ થવી જોઈએ.

એક ટીવી-ચૅનલે ઍમ્બ્યુલન્સના કર્મચારી સાથે વાત કરી હતી જેણે દાવો કર્યો હતો કે સુશાંતની બૉડી પીળી પડી ગઈ હતી.
બીજી તરફ બીજેપીના પ્રવક્તા નિખિલ આનંદે આક્ષેપ કર્યો હતો કે સુશાંતના કેસમાં પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો છે.
એએનઆઇએના અહેવાલ મુજબ આનંદે માગણી કરી હતી કે શિવસેનાના નેતા સંજય રાઉત અને આદિત્ય ઠાકરેની નાર્કો ટેસ્ટ કરાવવી જોઈએ.

sushant singh rajput rhea chakraborty mumbai police crime branch Crime News mumbai crime news mumbai crime branch bihar