સુશાંત સિંહ રાજપૂતના નિધનને 4 મહિના પૂરા થતાં બહેને ઉઠાવ્યું આ પગલું...

14 October, 2020 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 4 મહિના પૂરા થતાં બહેને ઉઠાવ્યું આ પગલું...

ફાઇલ ફોટો

14 ઑક્ટોબરના સુશાંત સિંહ રાજપૂતના નિધનને ચાર મહિના થઈ ગયા છે. સુશાંતના પરિવારના સભ્યો અને તેમના પ્રશંસકો સતત તેમની માટે ન્યાયની માગ કરી રહ્યા છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ આ દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહી અને પોતાના ભાઈની યાદમાં ક્યારેક વીડિયોઝ તો ક્યારેક તસવીરો શૅર કરતી રહી. હવે શ્વેતાએ સોશિયલ મીડિયા પર એવું પગલું લીધું છે જેનાથી બધાં ચોંકી ગયા છે.

હકીકતે શ્વેતા સિંહ કિર્તીએ પોતાના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. પરિવાર સતત કહે છે કે સુશાંતની હત્યા કરી દેવામાં આવી છે. એવામાં પરિવાર તરફથી શ્વેતા સિંહ કિર્તી સોશિયલ મીડિયા દ્વારા વાત કરી રહી હતી. શ્વેતા અમેરિકામાં રહે છે. તેણે અમેરિકા સહિત વિશ્વના બીજા દેશોની પણ તસવીરો પણ શૅર કરી હતી જેમાં સુશાંતના ચાહકો ન્યાયની માહ કરી રહ્યા હતા. હવે ચાહકો શ્વેતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિલીટ થઇ જવાથી ખૂબ જ ચોંકી ગયા છે.

શ્વેતાનો ફેસબૂક અકાઉન્ટ હજી એક્ટિવ છે. એ ખબર નથી પડી કે તેણે આવું કેમ કર્યું. જ્યારે સુશાંતના નિધનના ચાર મહિના થવા અંગે શ્વેતાએ એક વીડિયો પણ શૅર કર્યો હતો. શ્વેતાએ આ વીડિયોના કૅપ્શનમાં લખ્યું, 'એક સાચ્ચી પ્રેરણા અને #ImmortalSushant'

શ્વેતાએ તાજેતરમાં સુશાંતના નિધનની તપાસ માટે નવી મોહિમ શરૂ કરી હતી. આ મોહિમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાથે જોડાયેલી છે. શ્વેતાએ સુશાંતના ચાહકોને અપીલ કરતાં કહ્યું કે મેસેજ મોકલીને વડાપ્રધાનને મન કી બાત કહો. તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું, #MannKiBaat4SSR ન્યાય અને હકીકત જાણવા માટે પોતાનો અવાજ ઉઠાવવાની સારી તક છે.

sushant singh rajput bollywood instagram twitter mumbai mumbai news