SSRના મિત્રએ હાઈ કોર્ટના દરવાજા શા માટે ખખડાવ્યા?

29 October, 2020 09:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

SSRના મિત્રએ હાઈ કોર્ટના દરવાજા શા માટે ખખડાવ્યા?

ફાઈલ તસવીર

સુશાંત સિંહ રાજપૂત (SSR)ના મિત્ર અને જીમ પાર્ટનર સુનિલ શુક્લાએ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે કે સુશાંતની પૂર્વ મેનેજર દિશા સૅલિયન (Disha Salian)નું નિધન શંકાસ્પદ હોવાથી આમાં CBI તપાસ થવી જોઈએ.

સુશાંત સિંહ રાજપૂતનું નિધન 14 જૂન જ્યારે તે પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશા સૅલિયને 8 જૂને આત્મહત્યા કરી હતી.

અરજીમાં શુક્લાએ કહ્યું કે, દિશા સૅલિયન અને સુશાંત સિંહ રાજપૂતનું નિધન શંકાસ્પદ છે અને મુંબઈ પોલીસે આ તપાસમાં અમૂક પાસાઓ ઉપર ધ્યાન આપ્યુ નથી. અરજીમાં ડોક્યુમેન્ટ્રી પુરાવો છે જે સાબિત કરશે કે દિશા અને સુશાંત માર્ચ અને એપ્રિલ 2020માં એકબીજાના સંપર્કમાં હતા.

અરજીમાં ઉમેરવામાં આવ્યું કે, સીબીઆઈ સુશાંતના કેસની તો તપાસ કરી જ રહી છે પણ દિશા સૅલિયનની તપાસ પણ સીબીઆઈએ જ કરવી જોઈએ.

sushant singh rajput central bureau of investigation mumbai police bombay high court