07 September, 2020 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ આશિષ રાજે
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case) કેસમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) આજે બીજી વાર પૂછપરછ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી - NCB) ઑફિસ પહોંચી છે. એમ મનાઇ રહ્યું છે કે એનસીબી રિયાના જવાબોને આધારે નિર્ણય કરશે કે તેની ધરપકડ કરવી કે નહીં. ડ્રગ્સ કનેક્શનમાં શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કર્યા બાદ હવે ધરપકડની તલવાર અભિનેત્રી રિયા ચક્રવર્તી પર તોળાઇ રહી છે.રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા રિયાની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.આ દરમિયાન રિયાએ ઘણી મહત્વપૂર્ણ બાબતોનો ખુલાસો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.આજે રિયા-શૌવિક-મિરાન્ડાની ત્રણેય મળીને પૂછપરછ કરશે. બીજી તરફ સુશાંત કેસમાં સીબીઆઈ તપાસ પણ ચાલુ છે.
નેટવર્ક 18માં આવેલા એક રિપોર્ટ અનુસાર રિયાએ રવિવારે પૂછપરછમાં કબૂલાત કરી છે કે સુશાંતને મારિઆના (marijuana) એટલે કે વીડ અથવા જેને આપણે ગાંજો કહીએ છીએ તેની આદત હતી. નેટવર્ક 18નને આ માહિતી એનસીબીના કોઇ સોર્સે આપી હોવાને રિપોર્ટમાં દાવો છે. આજે રિયા-શૌવિક અને સેમ્યુઅલ ઉપરાંત સુશાંતના ઘરના સ્ટાફર દિપેશ સાવંતની પણ પૂછપરછ કરાશે જેથી ઇલેક્ટ્રોનિક ડેટામાં મળી આવેલા પુરાવા કે આ શૌવિક, સેમ્યુઅલ અને દિપેશ ડ્રગ્ઝની લેવડ-દેવડમાં સામેલ હતા તેની વધુ સ્પષ્ટતા થઇ શકે. ડ્રગ્ઝને મામલે આ કેસમાં અત્યાર સુધી ત્રણ જણની ધરપકડ થઇ છે.
મહારાષ્ટ્ર સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશને પણ મુંબઇ પોલીસ અને કૂપર હૉસ્પિટલ સત્તાધિશો પાસેથી સુશાંતના પોસ્ટમોર્ટમ સાથે સંબંધિત બધી જ અહેવાલ મંગાવ્યા છે. આ તરફ સુશાંતની બહેનની પૂછપરછ સીબીઆઇ દ્વારા કરવામાં આવી હતી અને અગાઉ સુશાંતની બિઝનેસ મેનેજ શ્રુતિ મોદીની પૂછપરછ કરાઇ હતી.