મારી મૃતક પુત્રી દિશાને યાતના આપવાનું બંધ કરો

14 August, 2020 08:45 AM IST  |  Mumbai Desk | Samiullah Khan

મારી મૃતક પુત્રી દિશાને યાતના આપવાનું બંધ કરો

દિશા સાલિયાન

જૂન મહિનામાં આત્મહત્યા કરનાર દિશા સાલિયાનના પિતા સતીષ સાલિયાને આખરે તેમની પુત્રીના મોત મામલે ચાલી રહેલા વિવાદ પર મૌન તોડ્યું છે. ગુરુવારે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે લોકોને પોતાની પુત્રીને ‘સતાવવાનું’ અને તેના મૃત્યુ વિશે પાયાવિહોણી અફવાઓ ફેલાવવાનું બંધ કરવાની વિનંતી કરી હતી.
તેમણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે દિશા અને તેનો ફિયાન્સ રોહન રાય લગ્ન કરવાની યોજના કરી રહ્યાં હતાં. તેમણે જૂનમાં કોર્ટ-મૅરેજ કરવાનું નક્કી કર્યું હતું. અમે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં રિસેપ્શન આપવાનું નક્કી કર્યું હતું, એમ સતીષે જણાવ્યું હતું, પરંતુ ૮ જૂને દિશાએ બહુમાળી મલાડસ્થિત રેજેન્ટ ગૅલૅક્સી પરથી મોતની છલાંગ લગાવી દીધી, જ્યાં તે રોહન સાથે રહેતી હતી.

samiullah khan mumbai mumbai news