તાંત્રિકની સલાહથી બે ભાઈઓએ સગી માનો જ જીવ લઈ લીધો

31 December, 2014 03:29 AM IST  | 

તાંત્રિકની સલાહથી બે ભાઈઓએ સગી માનો જ જીવ લઈ લીધો




બે ભાઈઓ કાશિનાથ અને ગોવિંદ દોરે પોતાની પરિસ્થિતિઓથી ખુશ નહોતા તેથી તેમણે તેમની બહેન રાહીબાઈ પિંગળેની સલાહથી બચ્ચીબાઈ નારાયણ ખડકે (૪૨)ની સલાહ લીધી હતી. બચ્ચીબાઈ મહિલા તાંત્રિક છે. મહિલા તાંત્રિકે આ ભાઈઓને તેમની માતા અને બહેનનો બલિ ચડાવવાની સલાહ આપી હતી. અંધશ્રદ્ધાથી પ્રેરાઈ આ ભાઈઓએ પોતાની માતા અને બહેનનું બલિદાન આપવા કાવતરું રચ્યું હતું. ભાઈઓએ માર મારી માતાની હત્યા કરી હતી, જ્યારે તેમની બહેન રાહીબાઈ બચી જવા પામી હતી. ઘટનાની જાણ થોડા દિવસો પહેલાં ભગવાન માઢે નામના સામાજિક કાર્યકર્તાએ પોલીસને કરી હતી. પોલીસે બચ્ચીબાઈની ધરપકડ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. ત્યાર બાદ કાશિનાથ અને ગોવિંદની ધરપકડ કરી હતી.