મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ઍક્સિડન્ટમાં છનાં મૃત્યુ

26 December, 2011 05:01 AM IST  | 

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર ઍક્સિડન્ટમાં છનાં મૃત્યુ

 

આ તમામ લોકો એક ટ્રાવેલ કંપની મારફત વિદેશમાં ફરવા જઈ રહ્યા હતા. ક્રિસમસની રજા નિમિત્તે પુણેની એક પ્રાઇવેટ ટ્રાવેલ કંપની મારફત થાઇલૅન્ડ, મલેશિયા અને સિંગાપોરની દસ દિવસની ટૂર જઈ રહી હતી, જેમાં પુણેના ૧૭ લોકો થાઇલૅન્ડ જવા મુંબઈથી ફ્લાઇટ પકડવા આવી રહ્યા હતા, પણ મુંબઈ પહોંચતાં પહેલાં જ લોનાવલા પાસે કાળનો કોળિયો બની ગયા હતા. તેમની બસનું પૈડું એક ખાડામાંથી જઈને ફાટી જતાં અને ડ્રાઇવરનો બસ પરથી કાબૂ છૂટી જતાં બસ વિરુદ્ધ દિશામાં જઈ પડી હતી. એ જ સમયે મુંબઈથી પુણે આવી રહેલી એક ટ્રક સાથે બસ જોશભેર ભટકાઈ હતી, જેમાં છ જણનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.