શિવાજી પાર્ક મેદાનમાં તૈયારીએ અફવાને જોર આપ્યું

16 November, 2012 05:41 AM IST  | 

શિવાજી પાર્ક મેદાનમાં તૈયારીએ અફવાને જોર આપ્યું

ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે શિવાજીની પ્રતિમાની આસપાસના વિસ્તારમાં બેથી ત્રણ ટ્રકે પ્રવેશીને ગ્રાઉન્ડની અંદર પંડાલ બનાવવા માટે જરૂરી બામ્બુ તથા પ્લૅટફૉર્મ બનાવવાની સામગ્રી ઠાલવી હતી. ત્રણ વાગ્યા સુધીમાં તો સાતથી આઠ જેટલી ટ્રકોએ સામગ્રી ઠાલવી દીધી. આ સમાચાર માતોશ્રી પર પહોંચ્યા તો શિવસેનાના સેક્રેટરી વિનાયક રાઉત જાતે સાડાત્રણ વાગ્યે ગ્રાઉન્ડ પર આવ્યા. તેમના મતે એ પોલીસની તૈયારી હતી તેમ જ તેમણે કૉન્ટ્રૅક્ટરને આ સામાન પાછો લઈ જવા માટે કહ્યું.

શિવસેનાના સિનિયર નેતાના મતે આ તૈયારીને કારણે શિવસૈનિકોમાં ખોટો સંદેશો જશે કે બાળાસાહેબ ઠાકરેની હાલત નાજુક છે. સાંજે પાંચ વાગ્યે શિવાજી પાર્કમાં સાત મોબાઇલ ટૉઇલેટ, ત્રણ વૉટર-ટૅન્કર હાજર હતાં. મેદાનની સફાઈ પણ સુધરાઈ દ્વારા કરવામાં આવી હતી.