શિવસેનાને વધુ એક ઝટકો : ઉદય સામંત નૉટ રીચેબલ

27 June, 2022 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભ્યોની બેઠકમાં હાજર રહેલા હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંત પણ નૉટ રીચેબલ થઈ ગયા છે.

ગઈ કાલે ગુવાહાટીની હોટેલમાં ઉદય સામંતને આવકારતા એકનાથ શિંદે.


મુંબઈ : એકનાથ શિંદેએ બળવો કર્યા બાદ શિવસેના આક્રમક થઈ છે અને જોરદાર શક્તિપ્રદર્શન કરી રહી છે ત્યારે ગઈ કાલ સુધી શિવસેનાના પડખે રહેલા અને તેમના બચેલા વિધાનસભ્યોની બેઠકમાં હાજર રહેલા હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન મિનિસ્ટર ઉદય સામંત પણ નૉટ રીચેબલ થઈ ગયા છે. એવું કહેવાય છે કે તેઓ ગુવાહાટી વાયા સુરત પહોંચી ગયા છે. એને કારણે પોતાની સાથે રહેલા વિધાનસભ્યો પર પૂરો મદાર બાંધીને બેસેલા શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે.  

mumbai news shiv sena