17 December, 2012 05:06 AM IST |
૧૭ નવેમ્બરે મૃત્યુ પામેલા બાળ ઠાકરેના શિવાજી પાર્કમાં ૧૮ નવેમ્બરે અંતિમ સંસ્કાર કરવા માટે શિવસેના સહિત મેયર સુનીલ પ્રભુએ રાજ્યના મુખ્ય પ્રધાનને ખાસ વિનંતી કરી હતી એટલે સ્પેશ્યલ કેસ ગણીને પૃથ્વીરાજ ચવાણે અને સુધરાઈના કમિશનર સીતારામ કુંટેએ અંતિમ સંસ્કાર કરવા માટે મંજૂરી આપી હતી જે એક દિવસ પૂરતી જ હતી, પણ બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર કર્યા બાદ શિવસેનાએ અહીં તેમની કામચલાઉ સમાધિ ઊભી કરી દીધી હતી અને એને અહીંથી હટાવવાને બદલે કાયમી સ્વરૂપે અહીં જ તેમનું સ્મારક બનાવવાની માગણી પર અડી બેઠી હતી, પણ શિવાજી પાર્ક સીઆરઝેડ હેઠળ આવતો હોવાથી અહીં કોઈ પણ બાંધકામ શક્ય નહોતું એટલે સુધરાઈએ શિવસેનાને આ કામચલાઉ સમાધિ હટાવવાની નોટિસ આપી હતી, પણ શિવસેનાએ વાત નહીં ગણકારતા સુધરાઈએ મેયર સુનીલ પ્રભુને શિવાજી પાર્ક પરથી કામચલાઉ સમાધિ હટાવવાની નોટિસ ફટકારી હતી. છતાં શિવસેના કોઈની વાત માનવા તૈયાર નહોતી એને પગલે સરકારે બળનો ઉપયોગ કરીને સમાધિ હટાવાની તૈયારી શરૂ કરી હતી. જોકે નાછૂટકે શિવસેનાએ નમતું જોખીને પોતે જ ૧૭ ડિસેમ્બરે બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ હટાવવાની તૈયારી દર્શાવી હતી.
સીઆરઝેડ = કોસ્ટલ રેગ્યુલેશન ઝોન