શિરડી ટ્રસ્ટે શહીદોના પરિવારને ૨.૫૧ કરોડ રૂપિયાની મદદ જાહેર

17 February, 2019 12:43 PM IST  |  શિરડી

શિરડી ટ્રસ્ટે શહીદોના પરિવારને ૨.૫૧ કરોડ રૂપિયાની મદદ જાહેર

મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત શિરડીના સાંઈબાબા મંદિરના ટ્રસ્ટે પુલવામાના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોના પરિવારજનો માટે ગઈ કાલે ૨.૫૧ કરોડ રૂપિયાની મદદ જાહેર કરી હતી. શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સુરેશ હાવરેએ જણાવ્યું હતું કે અમે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાને વખોડીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે ભારત સરકાર અને લશ્કર આ હુમલાખોરોને જડબાતોડ જવાબ આપશે.