સીરમના સીઈઓએ રસી મુકાવ્યા બાદ કહ્યું, ઐતિહાસિક દિવસ

17 January, 2021 08:29 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

સીરમના સીઈઓએ રસી મુકાવ્યા બાદ કહ્યું, ઐતિહાસિક દિવસ

રસી મુકાવતા અદર પૂનાવાલા

ગઈ કાલે કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન શરૂ થતાંની સાથે પ્રથમ તબક્કામાં હેલ્થ કૅર વર્કર્સની સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ પણ કોવિશીલ્ડ વૅક્સિનનો ડોઝ લીધો હતો. તેમણે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં વૅક્સિનેશન ડ્રાઇવના આરંભના દિનને ‘ઐતિહાસિક દિવસ’ ગણાવ્યો હતો. ટ્વિટરની પોસ્ટમાં અદર પૂનાવાલાએ ‘વૅક્સિનેશન ડ્રાઇવ રોલ આઉટ’માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સફળતાની શુભેચ્છા વ્યક્ત કરી હતી. ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા ફાર્માસ્યુટિકલ્સે વિકસાવેલી રસીના ભારતમાં ઉત્પાદનના સમજૂતી-કરાર પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે કરવામાં આવ્યા છે.

coronavirus covid19 pune mumbai mumbai news