દાદરમાં ગુજરાતી સિનિયર સિટિઝનનું સોળમા માળેથી નીચે પટકાતાં મૃત્યુ

20 October, 2011 08:10 PM IST  | 

દાદરમાં ગુજરાતી સિનિયર સિટિઝનનું સોળમા માળેથી નીચે પટકાતાં મૃત્યુ

 

દાદર પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સુનીલ જાધવે આ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘અમે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા તેમના પુત્ર ઉદયનો સંપર્ક કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારા પિતા બાલ્કનીમાં હવા ખાવા ગયા હતા ત્યારે તેમનું સંતુલન જતાં નીચે પટકાયા હતા. મનોહર શાહ ૧૬મા માળેથી બીજા માળે પટકાયા હતા. તેમના માથામાં અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. બિલ્ડિંગનો વૉચમૅને અવાજ સાંભળી તપાસ કરીને તરત જ તેમની ફૅમિલીને જાણ કરી હતી. ડ્રાઇવર અને વૉચમૅન મનોહર શાહને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. મનોહર શાહની ફૅમિલીમાં ૭૪ વર્ષનાં પત્ની લક્ષ્મી, પુત્ર ઉદય અને પુત્રી રક્ષાનો સમાવેશ છે.  પ્રાથમિક તપાસમાં અમને આ કેસમાં કશું શંકાસ્પદ જણાતું નથી. એમ છતાં અમે કેસની તપાસ ચાલુ રાખીશું. અત્યારે અમે ઍક્સિડેન્ટલ ડેથની નોંધ કરી છે. ’