સંજય નિરુપમને નજરકેદમાં રાખવામાં આવેલા?

25 December, 2016 06:28 AM IST  | 

સંજય નિરુપમને નજરકેદમાં રાખવામાં આવેલા?



મુંબઈ કૉન્ગ્રેસના ચીફ સંજય નિરુપમનો ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પબ્લિક મીટિંગના સ્થળે કાર્યકરો સાથે સાઇલન્ટ માર્ચનું આયોજન કરવાનો પ્લાન હતો, પણ તેમણે પોતાને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે પોલીસે આ આક્ષેપને નકાર્યો હતો.

પોલીસે કહ્યું હતું કે શહેરમાં વડા પ્રધાને લીધેલી મુલાકાત વખતે સંજય નિરુપમના ઘરની બહાર રાખવામાં આવેલી પોલીસ સિક્યૉરિટીનો એક ભાગ હતો.

સંજય નિરુપમે કહ્યું હતું કે મારા ઘરની બહાર ભારે પોલીસ-બંદોબસ્ત છે અને મને બહાર જવા માટે રોકવામાં આવી રહ્યો છે. પોલીસે જણાવ્યા પ્રમાણે માત્ર અણધારી ઘટના ટાળવાના હેતુથી પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.