સ્મારકનો વિવાદ બંધ કરો : ઉદ્ધવ

21 November, 2012 04:37 AM IST  | 

સ્મારકનો વિવાદ બંધ કરો : ઉદ્ધવ

સ્મારક માટે વિવાદ ઊભો કરવાનો આ સમય નથી અને તાત્પૂરતો એને બંધ કરો એવી વિનંતી ઉદ્ધવ ઠાકરેએ શિવસૈનિકોને કરી હતી. બાળાસાહેબના જવાથી ઠાકરે પરિવાર પર મોટું સંકટ આવ્યું છે અને એમાંથી પરિવાર હજી સુધી બહાર આવ્યો નથી એવા સમયે તેમના સ્મારકને લઈને કોઈએ વિવાદ ઊભો કરવો નહીં એવી વિનંતી તેમણે એક પત્ર દ્વારા કરી હતી. આ બાબતનો નિર્ણય લાખો શિવસૈનિકો નક્કી કરશે એવું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.