આંબોલીનું પુનરાવર્તન ઓશિવરામાં ટળી ગયું

30 December, 2011 08:52 AM IST  | 

આંબોલીનું પુનરાવર્તન ઓશિવરામાં ટળી ગયું



આંબોલીની ડબલ મર્ડર જેવી ઘટનાનું પુનરાવર્તન ઓશિવરા વિસ્તારમાં થતાં-થતાં રહી ગયું હતું. યુવતીની છેડતી કર્યા બાદ ચાકુ હુલાવનારા શખસથી બચવા માટે અભિનેતાએ હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.

જુહુ ચર્ચ પાસે આવેલા કૈલાસ એપાર્ટમેન્ટમાં રહેતો અભિનેતા સ્વરાજ વર્મા તેની મિત્ર સાથે ૨૫ ડિસેમ્બરે ફાઇવ સ્પાઇસ હોટેલમાં આવ્યો હતો. આ સમયે એક અજાણ્યા શખ્સે સ્વરાજના મિત્રની છેડતી કરતાં ગુસ્સે થયેલા સ્વરાજે શખ્સેને લાફો મારી દીધો હતો. આ સમયે ત્યાંથી જતો રહેલો શખ્સે  પાછો આવ્યો હતો. તેણે સ્વરાજ પર ચાકુથી હુમલો કર્યો હતો. સ્વરાજે પોતાની લાઇસન્સધારી રિવૉલ્વરમાંથી હવામાં ગોળીબાર કરતાં તે ભાગી ગયો હોવાનું આંબોલી પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.

કેટલાક દિવસો પહેલાં અંધેરીમાં આવેલા આંબોલી ચર્ચ નજીક અસામાજિક તત્વો દ્વારા છોકરીની છેડતી કરવામાં આવી હતી, જેને તેના ફ્રેન્ડ્સ કીનન સૅન્ટોસ અને રુબેન ફર્નાન્ડિસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આથી અસામાજિક તત્વોએ બન્ને યુવકની હત્યા કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ લોકો અલર્ટ થઈ ગયા છે.