રાજ ઠાકરે પર વીફર્યા રામદાસ આઠવલે

07 October, 2014 05:29 AM IST  | 

રાજ ઠાકરે પર વીફર્યા રામદાસ આઠવલે


રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘રાજ્યની સત્તા હાથમાં આવે તો સુવર્ણયુગ લાવવાની વાતો કરતા રાજ ઠાકરેએ નાશિકની સુધરાઈની સત્તા હાથમાં આવી તો કોલસો કરી નાખ્યો. રાજ ઠાકરેના હાથમાં મહારાષ્ટ્ર પડશે તો તે સત્યાનાશ વાળશે. તે બીજાની નકલ કરવામાં એક્સપર્ટ છે. તે કહે છે કે આઠવલે દેડકાની જેમ કૂદકા મારે છે, પરંતુ મારો કૂદકો દેડકાનો નહીં વાઘની તરાપ છે. જો મારી તરાપ તમારા ગળે આવી તો શું થશે એ જોજો.’