દિગ્વિજય સિંહની કમેન્ટથી અકળાઈને રાખી સાવંતે પોલીસમાં નોંધાવી ફરિયાદ

13 November, 2012 05:51 AM IST  | 

દિગ્વિજય સિંહની કમેન્ટથી અકળાઈને રાખી સાવંતે પોલીસમાં નોંધાવી ફરિયાદ



દિગ્વિજય સિંહની આ કમેન્ટ સામે રાખી સાવંતે મુંબઈના પોલીસ-કમિશનર સત્યપાલ સિંહ, રાજ્યના ગૃહખાતાના સેક્રેટરી અને ગોરેગામ પોલીસને લેટર લખી ફરિયાદ કરીને દિગ્વિજય સિંહ સામે ગુનો નોંધવા કહ્યું છે. તેનું કહેવું છે કે દિગ્વિજય સિંહે આમ કહીને તેનું અપમાન કર્યું છે અને એને કારણે તેના ચારિત્ર્યને નુકસાન થયું છે. રાખી સાવંતે આ કેસની તપાસ સીબીઆઇ કરે એવી પણ માગણી કરી છે. રાખી સાવંતે કહ્યું હતું કે ‘હું દિગ્વિજય સિંહને પર્સનલી ઓળખતી નથી, પણ આમ કહીને તેમણે મારી આબરૂ અને ઇમેજને નુકસાન પહોંચાડ્યું છે. મેં આ માટે મારા વકીલને દિગ્વિજય સિંહ સામે ૫૦ કરોડ રૂપિયાનો દાવો માંડવા કહ્યું છે.’