રાજ ઠાકરેએ આંબેડકરનું અપમાન કર્યું છે : આઠવલે

22 August, 2012 05:19 AM IST  | 

રાજ ઠાકરેએ આંબેડકરનું અપમાન કર્યું છે : આઠવલે

રાજ ઠાકરેએ ગઈ કાલે તેમના ભાષણમાં દલિત નેતાઓ પર કરેલી ટિપ્પણી બાદ ગઈ કાલે રામદાસ આઠવલેએ કહ્યું હતું કે ‘ઇન્દુ મિલની જગ્યા આંબેડકરના અનુયાયીઓ માટે આત્મસન્માનનો મુદ્દો છે ત્યારે તેઓ અમારા આંદોલનની ઠેકડી ઉડાવે છે. રઝા ઍકૅડેમીએ આઝાદ મેદાનમાં કરેલાં તોફાનો બાદ અમે તેની નિંદા નહોતી કરી એવું રાજ ઠાકરે કહે છે. તેઓ જૂઠું બોલી રહ્યા છે. અમે આ પૂરા બનાવ માટે દિલગીરી તો વ્યક્ત કરી જ હતી, પણ સાથે જ આ હિંસામાં પાકિસ્તાનનો હાથ તો નથીને એની તપાસ કરવાની માગણી પણ કરી હતી. અમે મોરચો કાઢીને સામાજિક સંવાદિતાને બગાડવામાં નહોતા માગતા. લખનઉમાં જ્યારે બુદ્ધની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું ત્યારે રાજ ઠાકરેએ કેમ વિરોધ નહોતો દર્શાવ્યો.’