28 July, 2012 05:18 AM IST |
ઉદ્ધવને બર્થ-ડે પર ક્રીએટિવ સંદેશ
શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના જન્મદિને તેમને અભિનંદન આપવા અને તેમને જલદીથી સાજા થઈ જવા માટેની શુભેચ્છા આપવા માટે શહેરમાં ઠેર-ઠેર અનેક હોર્ડિંગ્સ અને બૅનરો લગાવવામાં આવ્યાં હતાં. એમાંથી ઘણાં ગેરકાયદે પણ હશે, પરંતુ દાદરમાં સેનાભવનની સામે લગાડવામાં આવેલું એક મસમોટું હોર્ડિંગ ખાસ્સું ક્રીએટિવ હતું. ઉદ્ધવે હમણાં ઍન્જિયોપ્લાસ્ટી કરાવીને પોતાના હાર્ટના બ્લૉકેજ દૂર કરાવ્યા એ સંદર્ભમાં લખવામાં આવ્યું હતું કે યશના માર્ગમાંથી બધાં બ્લૉકેજ દૂર થઈ ગયાં છે. તસવીર : રાણે આશિષ
એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના