લોકલ ટ્રેનોની સર્વિસ સુધારવા સુરેશ પ્રભુ મુંબઈમાં ઑફિસ ખોલશે

01 December, 2014 03:35 AM IST  | 

લોકલ ટ્રેનોની સર્વિસ સુધારવા સુરેશ પ્રભુ મુંબઈમાં ઑફિસ ખોલશે




આ  ઑફિસ રેલવે-સ્ટેશનની પાસે હશે અથવા રેલવે-પરિસરમાં જ હશે. સામાન્ય રીતે જેટલા રેલવેપ્રધાનો થયા છે તેમણે તેમના હોમટાઉનમાં ઑફિસ ખોલી છે, પણ આ પહેલી વાર કોઈ પ્રધાન મહારાષ્ટ્રમાં ઑફિસ ખોલી રહ્યા છે. આ ઑફિસમાં રેલવે-અધિકારીઓ સાથે મીટિંગો થશે અને સાથે જનતાને પણ મળવાનો મોકો મળશે.

સેન્ટ્રલ રેલવેમાં દાદર અને માટુંગા વચ્ચે ખાલી પ્લૉટ પર આ ઑફિસ આવી શકે એમ છે. વળી આ જગ્યાએથી વેસ્ટર્ન રેલવેના પૅસેન્જરો પણ આવી શકે એમ છે.