02 December, 2012 05:16 AM IST |
શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના અવસાન બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં પાળવામાં આવેલા બંધ સામે પાલઘરની બે યુવતીઓએ ફેસુબક પર કરેલી ટિપ્પણી બદલ પાલઘર પોલીસે તેમની ધરપકડ કરી હતી. આને લગતો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને એના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.