દિશા અને સુશાંતના મૃત્યુ અંગે આદિત્ય ઠાકરેની તપાસ કરો, બોમ્બે હાઈકોર્ટ PIL દાખલ

02 October, 2023 10:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરેની અટકાયત અને તપાસ કેમ ન કરવામાં આવી? આને સાબિત કરતી વખતે આ અરજીમાં અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે

ફાઇલ તસવીર

બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને દિશા સાલિયાન (Disha Salian)ની આત્મહત્યાના મામલામાં આદિત્ય ઠાકરે (Probe Aaditya Thackeray)ની તપાસની માગ કરતી એક જાહેર હિતની અરજી બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)માં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પિટિશનર્સના એસોસિયેશનના પ્રમુખ રાશિદ ખાન પઠાણે આ જાહેર હિતની અરજી દાખલ કરી હતી અને તાજેતરમાં મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ આરિફ ડૉક્ટરની બેન્ચ સમક્ષ પ્રાથમિક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ટૂંક સમયમાં વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

આ અરજીમાં કેન્દ્રીય તપાસ પ્રણાલીમાં સીબીઆઈ અધિકારીઓની શિથિલતા બદલ કાર્યવાહીની માગ કરવામાં આવી છે. અરજીમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે રાજ્યના એડવોકેટ જનરલને સુપ્રીમ કોર્ટના આદેશની અવમાનના બદલ સીબીઆઈ સામે પિટિશન દાખલ કરવાનો આદેશ આપવામાં આવે.

પિટિશન શું છે?

દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આદિત્ય ઠાકરેની અટકાયત અને તપાસ કેમ ન કરવામાં આવી? આને સાબિત કરતી વખતે આ અરજીમાં અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. દિશા, આદિત્ય ઠાકરે, રાહુલ કનાલ, સૂરજ પંચોલી, સચિન વાઝે, એકતા કપૂરનું મોબાઈલ લોકેશન 8 જૂન, 2020ના રોજ ચેક કરવું જોઈએ, કારણ કે તે રાત્રે તેઓ બધા 100 મીટરની અંદર સાથે હતા. તેમ જ 13 અને 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, આદિત્ય ઠાકરે, અરબાઝ ખાન, સંદીપ સિંહ, શૌવિક ચક્રવર્તીના મોબાઈલ લોકેશન પણ ચેક કરવા જોઈએ. ઉપરાંત, આ બે દિવસની આસપાસના આદિત્ય ઠાકરેને લગતા તમામ સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ.

સુશાંતના મૃત્યુ સમયે આદિત્ય ઠાકરે અને રિયા ચક્રવર્તી વચ્ચે 44 વખત ફોન પર શું વાતચીત થઈ? તેણી તપાસ થવી જોઈએ. સુશાંત અને દિશાના મૃત્યુ પર સવાલ ઉઠાવતા તમામ સાક્ષી પુરાવાઓની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આદિત્ય ઠાકરે પર ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે દ્વારા બાળકોના યૌન શોષણ અંગેના આરોપોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેવી માગ પણ આ જાહેર હિતની અરજીમાં કરવામાં આવી છે.

રાહુલ કણાલનો આદિત્ય ઠાકરે પર પ્રહાર

રાહુલ કણાલ બે મહિના પહેલા મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં શિંદે જૂથમાં જોડાયા હતા, ત્યારે રાહુલે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાન કેસ પર ટિપ્પણી કરી હતી. મહારાષ્ટ્રમાં ઠાકરેની શિવસેનાને હરાવ્યા બાદ શિંદેની શિવસેનામાં જોડાયેલા રાહુલ કણાલે આદિત્ય ઠાકરે પર સીધો પહેલો પ્રહાર કર્યો હતો. રાહુલ કણાલે માગ કરી હતી કે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયન કેસની ફાઇલ ફરીથી ખોલવામાં આવે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવે. દિશા સાલિયાન કેસમાં કાર્યવાહી ટાળવા માટે તેઓ શિંદે જૂથમાં જોડાયા હોવાની ટીકા થઈ હતી. તેનો પ્રત્યુત્તર આપતા કણાલે સઘન તપાસની માગ કરી છે.

aaditya thackeray sushant singh rajput bombay high court mumbai mumbai news bollywood news