18 June, 2022 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્યામ મનોહરલાલજીના ૮૨મા જન્મદિવસે શ્રી પુરુષોત્તમનામસહસ્રમના પાઠની પ્રસ્તુતિ
પરીખ પરિવાર દ્વારા પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ શ્રી શ્યામ મનોહરલાલજી (કિશનગઢ-પાર્લા)ના ૮૨મા જન્મદિવસે શ્રીમદ્ વલ્લભાચાર્ય વીરચિતમ શ્રી પુરુષોત્તમનામસહસ્રમના પાઠની પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે. પરીખ પરીવારની યુ-ટ્યુબ ચૅનલ પરીખ પરિવાર - સ્મરણાંજલિકા પર રવિવાર, ૧૯ જૂને સાંજે ૪ વાગ્યે એની પ્રસ્તુતિ કરવામાં આવશે. આશરે એકાદ કલાકના આ કાર્યક્રમમાં સર્વેને જોડાવાનું પરીખ પરિવારનું આમંત્રણ છે. આપણા અદ્ભુત વારસાનો ઑનલાઇન ખજાનો આ ચૅનલ https://youtu.be/JNyaJCaMFQ4 પર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. ચૅનલને શૅર કરી લાઇક કરીને સબસ્ક્રાઇબ કરવા પરીખ પરિવાર સાથે જોડાયેલા રહેવા વિનંતી કરવામાં આવી છે.