કાલિદાસ ગ્રાઉન્ડમાં આવે છે પ્રેરણા રાસ ૨૦૧૨

26 September, 2012 08:38 AM IST  | 

કાલિદાસ ગ્રાઉન્ડમાં આવે છે પ્રેરણા રાસ ૨૦૧૨



૧૬ ઑક્ટોબરથી શરૂ થતા નવરાત્રિ ઉત્સવ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓને રાસરમઝટમાં તરબોળ કરી દેવા મુલુંડમાં ફરી એક વાર કાલિદાસ ગ્રાઉન્ડમાં પ્રેરણા રાસ ૨૦૧૨ના આયોજનની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વીસથીયે વધારે મ્યુઝિશ્યનોવાળું બીટ્સ ૧૬ ઑર્કેસ્ટ્રા, ધમાકેદાર ઢોલીઓ અને ગાયકો અર્પિતા ઠક્કર, નીલેશ ગઢવી અને મનીષ દોશી મુલુંડના નગરસેવક મનોજ કોટકના માર્ગદર્શન હેઠળ મુલુંડને ગજાવવા થનગની રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.