દિવાળીમાં બે દીવા વધારે પ્રગટાવજો, પાવરકટમાં કામ લાગશે

20 October, 2011 08:00 PM IST  | 

દિવાળીમાં બે દીવા વધારે પ્રગટાવજો, પાવરકટમાં કામ લાગશે

 

 

જોકે રાજ્ય સરકારે આ મામલામાં કેન્દ્રના ઊર્જાપ્રધાન સુશીલકુમાર શિંદે તથા રાજ્યકક્ષાના કોલસાપ્રધાન સાથે વાટાઘાટ કરી હોવા છતા લોડશેડિંગની ઘટનાનો ઇનકાર થઈ શકે એમ નથી, કારણ કે ૧૬ હજાર મેગાવૉટની ડિમાન્ડ સામે સપ્લાય ૧૧ હજાર મેગાવૉટ છે. સરકાર યેનકેન પ્રકારે ત્રણ હજાર મેગાવૉટ વીજપુરવઠો મેળવે તો પણ બે હજાર મેગાવૉટ વીજળીની ખેંચ પડશે. કેન્દ્રે માત્ર ૨૦૦ મેગાવૉટ વીજળી આપવાની તૈયારી બતાવી છે. પરિણામે હાલ તો મહાવિતરણ શહેરી વિસ્તારોમાં ત્રણથી છ કલાક તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૧થી ૧૩ કલાક લોડશેડિંગ કરશે.