ઘાટકોપરમાં પોલીસે લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો

06 December, 2012 06:52 AM IST  | 

ઘાટકોપરમાં પોલીસે લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો


ક્રાઇમ બ્રાન્ચના કુર્લા યુનિટને આ બાબતની માહિતી મળતાં એના અધિકારીઓએ આ માટે વૉચ રાખી હતી. મંગળવારે સાંજે સાડાચારથી સાડાપાંચ વાગ્યા દરમ્યાન રીઢા ગુનેગારો દુર્ગે‍શ ઉમાશંકર પાન્ડે, તાપુસ ઓરાવ અને અલી ખાનને પકડી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી બે રિવૉલ્વર, છ બુલેટ અને એક ચૉપર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ રીઢા ગુનેગારોને જાણ થઈ ગઈ હતી કે પોલીસ તેમના પર વૉચ રાખી રહી છે એટલે તેઓ નાસવા માંડ્યા હતા, પણ પોલીસે તેમનો પીછો કરીને આખરે તેમને પકડી લીધા હતા. જોકે તેમના બે સાગરીતો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. દુર્ગે‍શ પાન્ડે પર ઘરફોડી, ચોરી અને મર્ડરના ૧૦ ગુના નોંધાયેલા છે અને તાપુસ પર ઘરફોડી અને ચોરીના ૬ ગુના નોંધાયેલા છે.