ઉદ્ધવ, આદિત્ય અને રાજ તેમની મિલકત જાહેર કરે : જનહિતની અરજી

14 October, 2014 03:09 AM IST  | 

ઉદ્ધવ, આદિત્ય અને રાજ તેમની મિલકત જાહેર કરે : જનહિતની અરજી

અરજદાર સાઈપ્રકાશ નીલ થાણેના એક દૈનિકના સંપાદક છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ઉદ્ધવ, આદિત્ય અને રાજ ભલે ચૂંટણી નથી લડતા; પરંતુ તેઓ તેમની પાર્ટી વતી ઉમેદવારો ચૂંટણીમાં ઉતારે છે એથી તેમણે પણ તેમની સંપત્તિ જાહેર કરતું ઍફિડેવિટ રજૂ કરવું જોઈએ. આ જનહિતની અરજીની સુનાવણી ટૂંક સમયમાં થશે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે જનતાને માત્ર ઉમેદવારો જ નહીં, રાજકીય પક્ષોના નેતાઓ વિશે પણ માહિતી હોવી જરૂરી છે.