01 June, 2020 12:43 PM IST | Mumbai Desk | Mumbai Correspondent
પાવનધામ
કાંદિવલી (વેસ્ટ)માં મહાવીરનગર નજીક આવેલા પાંચ માળના ૪૫ હજાર ચોરસફીટના પાવનધામને અત્યારના કોરોનાના સંકટના સમયમાં દરદીઓ અને તેમના સંબંધીઓને સારી ક્વૉલિટીની સુવિધા મળી રહે એ માટે ગોંડલ સંપ્રદાયના શ્રી નમ્રમુનિમહારાજસાહેબની પ્રેરણાથી કોવિડ કૅર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. શનિવારે સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. દીપક સાવંતના હસ્તે પાવનધામને કોવિડ કૅર સેન્ટર તરીકે ખુલ્લું મુકાયું હતું.
પાવનધામના પ્રમુખ દિનેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના પૉઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને સારી સુવિધા મળે એ માટે અમે ઍપેક્સ હૉસ્પિટલ સાથે ટાઇઅપ કર્યું છે. ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહના ટ્રસ્ટ અને બોરીવલીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીના સહયોગથી અહીં ક્વૉરન્ટીનમાં રહેનારાઓને રાહત દરે રાખવામાં આવશે.’