30 September, 2011 08:35 PM IST |
વિઠ્ઠલ મંદિર તરફથી આવતા હજારો લોકો માટે નૉર્થ તરફ ટિકિટબારી બનાવવાની માગણી
જો કોઈ પ્રવાસી પાસે ટિકિટ ન હોય અને તેને ટિકિટ કઢાવીને સબવેથી અથવા તો દહિસરના સ્કાયવૉકથી રેલવે-સ્ટેશન પર જવું હોય તો જઈ શકાતું નથી. પહેલાં પ્રવાસીઓએ સાઉથ તરફ ટિકિટ-વિન્ડો તરફ જવું પડતું હોય છે. અહીં બે જ ટિકિટ-વિન્ડો હોવાથી લાંબી લાઇન લાગતી હોય છે. આને કારણે પ્રવાસીઓએ હેરાન થવું પડે છે. આ ઉપરાંત તેીર્ને મિડલ ફસ્ર્ટ ક્લાસ અથવા તો નૉર્થ તરફના ડબ્બામાં ટ્રાવેલ કરીને જવું હોય તો ફરીથી ચાલીને આવવું પડે છે.
દહિસરમાં જ રહેતા કુણાલ દેસાઈએ મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘જો દહિસર-વેસ્ટમાં વિઠ્ઠલ મંદિર તરફથી કોઈ આવતું હોય તો પહેલાં ટિકિટ લેવા માટે સ્કાયવૉક અને સબવેથી જતાં પહેલાં ટિકિટ-વિન્ડો તરફ લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ટિકિટ કઢાવ્યા પછી નૉર્થ તરફ જઈને સ્કાયવૉક અથવા તો સબવે પર જવું પડે છે.’