07 November, 2014 03:18 AM IST |
ગઈ કાલે મહારાષ્ટ્રનાં ગ્રામીણ વિકાસપ્રધાન પંકજા મુંડેએ પોતાની ઑફિસમાં તેને મંગળસૂત્ર આપી સંગીતાનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંગીતાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘ઘરેણાની સરખામણીએ શૌચાલય મૂળભૂત સુવિધા છે. એથી મેં મંગળસૂત્ર વેચી શૌચાલય બનાવવાનું નક્કી કર્યું હતું. દેશમાં ઘણાં રાજ્યો અને ગામોમાં શૌચાલયો નથી એથી મહિલાઓને મુશ્કેલી નડે છે. આ વખતે મારા કુટુંબીજનોએ વિરોધ કર્યો હતો, પરંતુ હું મક્કમ રહી હતી. આ પ્રસંગે પંકજા મુંડેએ તેની વિધાનસભ્ય તરીકે પહેલી મુદતની વાત કરતાં જણાવ્યું હતું કે તેણે વિધાનસભ્ય નિધિમાંથી ૨૫ ટકા નાણાં શૌચાલયો બાંધવા વાપર્યા હતાં.