જન્મદિવસે આદિત્યએ હાર્ટબ્લૉકેજ ધરાવતા શિશુ માટે લાખ રૂપિયા આપ્યા

14 June, 2020 01:01 PM IST  |  Mumbai Desk | Agencies

જન્મદિવસે આદિત્યએ હાર્ટબ્લૉકેજ ધરાવતા શિશુ માટે લાખ રૂપિયા આપ્યા

આદિત્ય ઠાકરેએ કરી આ શિશુની મદદ

મહારાષ્ટ્રના પ્રવાસન પ્રધાન અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેનો ગઈ કાલે શનિવારે જન્મદિવસ હતો અને આ દિવસે તેઓ ૩૦ વર્ષના થયા હતા. ત્રણ હાર્ટ-બ્લૉકેજ સાથે જન્મેલા ૬ દિવસના શિશુની સારવાર માટે તેમણે આ દિવસે એક લાખ રૂપિયા આપ્યા હતા.

આ બાળકનો જન્મ નવી મુંબઈની ઐરોલી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં થયો હતો અને હૃદયની સમસ્યાને કારણે તેને ફોર્ટિસ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
યુવા સેનાના કાર્યકરો રાહુલ કનાલ અને હુસેન શાહને આ કેસ વિશે જાણ થતાં તેમણે સેનાની યુવા પાંખના વડા આદિત્ય ઠાકરેને આ વિશે માહિતગાર કર્યા હતા.
ઠાકરેએ શિશુના પિતા અબ્દુલ અન્સારીને એક લાખ રૂપિયાની સહાય કરી હતી અને તમામ મેડિકલ ખર્ચ ઉપાડવાની ખાતરી આપી છે.

aaditya thackeray mumbai mumbai news happy birthday