રિક્ષાચાલકો માટે પણ SMS સુવિધા

24 November, 2011 10:33 AM IST  | 

રિક્ષાચાલકો માટે પણ SMS સુવિધા

 

બધા જ રિક્ષાચાલકો ખરાબ હોતા નથી, પરંતુ તેઓ લોકોને લૂંટે છે કારણ કે તેમને પોલીસ તથા આરટીઓના અધિકારીઓને મોટી લાંચ આપવી પડતી હોય છે. જો રિક્ષાચાલકો સભ્યતાથી વર્તે તેમ જ લોકોને લૂંટવાનું બંધ કરે એવી પરિસ્થિતિ કાયમ માટે જોઈતી હશે તો ઑટોના ધંધામાં વ્યાપેલા તમામ સ્તરના ભ્રષ્ટાચારને નાથવો પડશે. નવું SMS સૉફ્ટવેર થોડા જ દિવસમાં લૉન્ચ કરવામાં આવશે. રિક્ષાચાલકોની આ ફરિયાદ આઇએસી ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચાડવામાં આવશે.