28 June, 2022 03:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રમાં ચાલતા રાજનૈતિક સંગ્રામ વચ્ચે પહેલી વાર એકનાથ શિંદે ગુવાહાટીના હોટલની બહાર આવ્યા અને મીડિયા સામે વાતચીત કરશે. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું કે, "અમે શિવસેનામાં છીએ, શિવસેનામાં જ રહેશું." તેમણે કહ્યું કે, અમે લોકો બાળાસાહેબની રાહે છીએ અને બાળાસાહેબના હિંદુત્વને આગળ લઈ જાય છે.
એકનાથ શિંદેએ એ પણ દાવો કર્યો કે તેમની પાસે 50 વિધેયક છે. તેમણે કહ્યું કે તે ટૂંક સમયમાં જ મુંબઈ માટે રવાના થશે.
આ પહેલા આજે શિંદેએ સુપ્રીમ કૉર્ટના ઇન્ટરિમ આદેશનો ઉત્સવ ઉજવ્યો અને સ્પેશિયલ સેવઇ માટે ઑર્ડર આપવામાં આવ્યા. આ ઇન્ટરિમ આદેશ પ્રમાણે તેમને અયોગ્યતા નૉટિસ પર જવાબ આપવા માટે 12 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. સ્થાનિક ઉત્સવો અને લગ્નમાં ઉપયોગમાં લેવાતા આસામના સ્વદેશી રંગના ફટાકડાનો ઑર્ડર આપવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે સંકેત આપ્યા છે કે જો ગુવાહાટીમાંથી નીકળતાં પહેલા બધી વસ્તુઓ બરાબર થઈ જાય તો ઉત્સવ ઉજવવા માટે ફટાકડાના ત્રણ મોટા ડબ્બા ભરીને તૈયાર રાખવામાં આવે છે.